સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

પોરબંદરના કીર્તિ મંદિર પાસે ગટરના પાણી વહી ગયાઃ પાલિકા તંત્ર મોડું જાગ્યુ

પોરબંદર તા. ૧૧ :.. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર પાસે છલકાયેલી ગટરના ગંદા પાણી વહી જતાં યાત્રીકોને મુશ્કેલી પડી હતી પાલિકા તંત્ર ર૪ કલાક બાદ જાગ્યુ અને સફાઇ કરાવી હતી.

કીર્તી મંદિર પાસે નિયમીત સફાઇના અભાવે ગટરના છલકાયેલા પાણી રોડ ઉપર વહી ગયા હતાં. બહારથી આવતા યાત્રિકો અને બાજૂમાં શ્રીનાથજી હવેલીએ આવતા ભાવિકોની લાગણી દુભાય હતી.

(2:13 pm IST)