સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

જામનગરઃ વાવાઝોડા પહેલા અને પછી સાવચેતીના પગલા

જામનગર, તા., ૧૧: વાવાઝોડાની ચેતવણીનાં પગલે તંત્ર દ્વારા જણાવાયું છે કે રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષત્રીઓ દુર કરો. સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો ચકાસી લો. સ્થાનીક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો. ઢોર-ઢાંખરને ખુંટાથી છુટા કરી રાખો. માછીમારોને દરીયામાં જવુ નહી બોટ સલામત સ્થળે લાંગરવી. અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું. આશ્રય લઇ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો. સુકો નાસ્તો પાણી ધાબળા કપડા અને પ્રાથમીક  સારવારની કીટ સાથે રાખો. અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો.

વાવાઝોડા દરમ્યાન જર્જરીત દરમ્યાન જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી. રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સુચનાઓનો અમલ કરો. વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ કરવુ નહી. વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરીયાઇ મુસાફરી હિતાવહ નથી. વીજ પ્રવાહ તથા ગેેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી. દરીયા નજીક ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઇનો નજીક ઉભા રહેશો નહી. વીજળીના થાંભલાથી દુર રહેવા સલાહ આપવી. માછીમારોને દરીયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી. અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવા જણાવવું.

ખોટી અથવા અધુરી જાણકારીવાળી માહીતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભુત સુચનાઓને અનુસરો

વાવાઝોડા બાદ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનીસીપાલીટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. નુકશાનીનું તાત્કાલીક સર્વે કરી અંદાજીત નુકશાનીની વિગત રાજય સરકારને આપવી. તથા મદદ માટે સતત સંપર્કમાં રહેવુંઅસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઇ જવા, જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી, નોડલ ઓફીસરોને પોતાના રૂટ પર તાત્કાલીક રવાના કરવા તથા અન્ય વિભાગોના અધિકારીઓની મદદ લેવી માછીમારો દરીયામાં પ્રવાસ ન કરે, તેવી સુચનાઓ આપવી.ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું, તથા સતત સંપર્કમાં રહેવું અસરગ્રસ્તોને જરૂરી  મદદ ઉપલબ્ધ  કરાવવી.

(2:05 pm IST)