જસદણમાં હઝરત કાળુપીરનો ઉર્ષ
જસદણ તા. ૧૧: હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક હઝરત કાળુપીર સરકાર (ર.અ.)નો ઉર્ષ-મુબારક આગામી તા. ૧૩,૧૪ ગુરૂ-શુક્રવારના રોજ બે દિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે. તડામાર તૈયારી થઇ રહી છે.
ગુરૂવારના રોજ રાત્રીના ૧૦ કલાકે શહેરની જુમ્મા મસ્જિદ નજીક મહેફીલે ના'તનો કાર્યક્રમ જેમા નાતખ્વા તરીકે હાફીઝ હસન અશરફી એન્ડ પાટી રહેશે. તા. ૧૪ શુક્રવારે બપોરે ત્રણ કલાકે ઝુલુશ નિકળશે તે માર્ગો પર ફરી સાંજના હ.કાળુપીર સરકારની તૂરબત પર સંદલ ચઢાવ્યા બાદ રાત્રીના સામુહિક ન્યાઝ (પ્રસાદ)ના કાર્યક્રમ બાદ રાત્રિના ૧૦ કલાકે દેશના કવ્વાલ અજીજ નાઝાના પુત્ર મુસ્તુફા નાઝા એન્ડ પાર્ટી કવ્વાલી ગાઇ હ.કાળુપીર દાદાને પુરી રાત્રી સલામી આપ્યા બાદ બે દિવસીય ઉર્ષ મુબારક પુર્ણ થશે. ઉષ મુબારક પ્રસંગે દરેક હિન્દુ-મુસ્લિમ બિરાદરોને જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવાયુ છે.