સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

શાપર વેરાવળમાં વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ

શાપર વેરાવળ : પર્યાવરણ ઉજવણી દિવસ નિમિતે ઇનોવાકાસ્ટ પ્રા.લી અને ઇનોવેટીવ ટેકનોકાસ્ટ પ્રા.લી.ના માલિક મનુભાઇ પટેલ તથા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એશો.ના ચેરમેન રમેશભાઇ ટીલાળા, પ્રમુખ કિશોરભાઇ પટેલ, સેક્રેટરી વિનુભાઇ ધડુક તથા એશો.ના કારોબારી સભ્યો તેમજ ફેકટરીના કર્મચારી તેમજ ઉદ્યોગકારોએ આ કાર્યક્રમમાં ભાગ લઇ વૃક્ષારોપણ કરી અને તેનુ જતન કરવાની જવાબદારી સ્વીકારેલ. પર્યાવરણ અંગેની વિસ્તૃત જાણકારી હિમાંશુભાઇ પંચોલીએ આપેલ અને પાણી બચાવો અને વૃક્ષો વાવવા અંગેની પર્યાવરણના શપથ લેવડાવેલ એશો.ના ચેરમેન રમેશભાઇ ટીલાળાએ આ કાર્યક્રમ માટે ફેકટરીના ડાયરેકટરો તેમજ કર્મચારીગણને અભિનંદન પાઠવેલ અને સમયાંતરે પર્યાવરણની જાગૃતિ માટે આવા કાર્યક્રમ થાય તે માટે એશો. સહકાર આપશે તેની ખાતરી આપેલ. વૃક્ષ વાવી જતન કરવા સંકલ્પ લેવામાં આવ્યો તે તસ્વીર.

(12:08 pm IST)