સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th June 2018

સાસરીયાએ મારી પુત્રીની હત્યા કરી છેઃ સુરેન્દ્રનગરમાં માતાની ફરીયાદ

 વઢવાણ તા.૧૧: સુરેન્દ્રનગરની જીનતાન રોડ લોક માન્ય તીલક સોસાયટીમાં પરિણીતા મુસ્કાનનું ગળેફાસો ખાતા મોત થયું હતું. ત્યારે આ બનાવમાં ત્રાસ આપીને દિકરીને મારી નાખી હોવાની મૃતકની માતાએ બી ડિવીઝન પાલીસ મથકે સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવી હતી.

ચોટીલામાં રહેતા ફિરોજાબેન  મુરાદઅલી ખોમની દિકરી મુસ્કાનના લગ્ન સુરેન્દ્રનગર માં જીનતાન રોડ લોક માન્ય તીલક સોસાયટીમાં રહેતા રહેનીસ હુસેન ભાઇ કોઠીયા સાથે થયા હતા. ત્યારે તા. ૧૪/૧/૨૦૧૮ થી ૭/૬/૨૦૧૮ દરમિયાન મુસ્કાનના સાસરીયાઓ દ્વારા મારામારી દહેજ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા.આથી મુસ્કાનબેન લોકમાન્ય તીલક સોસાયટીમાં આવેલા મકાને કંટાળી જઇ ગળેફાંસો ખાતા મોત થયું હતું. આ બનાવમાં મૃતકની માતા ફિરોજબેન મુરા અલી ખોમએ સાસરીયા પક્ષના માણસો ગળે ફાંસો આપી દિકરીને મારી નાખ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આથી પોલીસે પતિ રહેનીસ હુશેન ભાઇ કોઠીયા, સાસુ હસીનાબેન હુસેનભાઇ કોઠીયા, સાસરા હુસેનભાઇ લાલજીભાઇ કોઠીયા, અને શકલ હુસેનભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. પી.આર સાગર ચલાવી રહયા છે.

(3:57 pm IST)