સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th June 2018

જામજોધપુર પંથકમાં જુગારધામ ઝડપાયુ

પોરબંદરના ૧૩ ઉપરાંત વાંસજાળિયા, સખપુર, ઉદરીયાનેસ, બધુડીયાનેસ, કોયાણા, કોટડા, જાવર, શિશલી, છાંયા, કંડોરણા, જેતપુરના મળી ૨૫ શખ્સોની સાડા આઠ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

જામજોધપુર, તા. ૧૧ :. ડોકામરડા રેલ્વેના ગડરની બાજુમાં ડોકામરડાના વેકરામાં બાવળની કાંટમાં અમુક ઈસમો જાહેરમાં ગોળ કુંડાળુ કરી ઘોડી પાસા વડે જુગાર રમે છે તેવી હકીકત મળતા તૂર્ત જ સદરહુ જગ્યાએ રેઈડ કરતા ત્યાંથી રોકડા રૂ. ૨૧૨૬૦ તથા ઘોડીપાસાના પાસા નંગ ૨ કિં. રૂ. ૦૦/૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૯ કિં. રૂ. ૩૨૦૦૦ તથા મો.સા. નંગ ૨ કિં. રૂ. ૫૦,૦૦૦ તથા ફોરવ્હીલ વાહન નંગ-૩ કિં. રૂ. ૭,૫૦,૦૦૦ના મળી કુલ રૂ. ૮,૫૩,૨૬૦ ના મુદામાલ સાથે આરોપી નં. ૧ થી ૮ (૧) એઝાઝભાઈ અબુભાઈ ચાવડા (ઉ.વ. ૧૯) ધંધો મજુરી રહે. વાંસજાળીયા શંકરના મંદિરની બાજુમાં તથા (૨) રાજશીભાઈ અભુભાઈ ઓડેદરા મેર (ઉ.વ. ૩૫), ધંધો ડ્રાઈવીંગ રહે. કડીયાપ્લોટ પટેલ ઓઈલ મીલની પાસે પોરબંદર તથા (૩) આદિત્ય ઉર્ફે આશિષભાઈ કરશનભાઈ ભુતીયા મેર (ઉ.વ. ૨૧) ધંધો પ્રા. નોકરી રહે. વછરાજ ચોક ચાન્યા વિસ્તાર પોરબંદર તથા (૪) ભુપતભાઈ ભીખુભાઈ ગોરાણીયા મેર (ઉ.વ. ૩૦) ધંધો ખેતી રહે. બીરલા કોલોની ઈન્દીરાનગર પોરબંદર તથા (૫) અરજણભાઈ ભુરાભાઈ મોઢવાડીયા મેર (ઉ.વ. ૩૮) ધંધો મજુરી રહે. નરસંગ ટેકરી સુદામા પરોઠા હાઉસ પાસે પોરબંદર તથા (૬) મેરૂભાઈ વેજાભાઈ ઓડેદરા મેર (ઉ.વ. ૫૦) ધંધો ડ્રાઈવીંગ રહે. મીલપરા શેરી નં. ૧ પોરબંદર તથા (૭) હરદાસભાઈ અભુભાઈ પરમાર મેર (ઉ.વ. ૩૦) ધંધો ડ્રાઈવીંગ રહે. છાંયા પાણીના ટાંકા પાસે શેરી નં. ૫ પોરબંદર તથા (૮) દેવદાસભાઈ રાજશીભાઈ ચાવડા મેર (ઉ.વ.૫૪) ધંધો ખેતી રહે. ઝુંડાણા મેર પરા પોરબંદર તથા નાસી જનાર (૯) રમેશભાઈ બધાભાઈ મોરી રહે. વાંસજાળીયા તથા (૧૦) પ્રકાશ ઉર્ફે પબો મેરાભાઈ મોરી રહે. વાંસજાળીયા તથા (૧૧) રાણાભાઈ પોલાભાઈ મોરી રહે. સખપુર તથા (૧૨) કારાભાઈ મોરી રહે. ઉદરીયા નેસ તથા (૧૩) જીવાભાઈ રબારી રહે. બધુડીયાનેસ તથા (૧૪) સંજયભાઈ ઓડેદરા રહે. છાંયા પોરબંદર તથા (૧૫) જીજ્ઞેશભાઈ જાડેજા રહે. છાંયા પોરબંદર તથા (૧૬) નિલેશભાઈ ભુતીયા રહે. છાંયા પાણીના ટાંકા પાસે પોરબંદર તથા (૧૭) હીતેષભાઈ પરમાર રહે. છાંયા પોરબંદર તથા (૧૮) કેશુભાઈ વજશીભાઈ આગઠ રહે. છાંયા પોરબંદર તથા (૧૯) દેવાઆતા રહે. કોયાણા હાલ કંડોરણા તથા (૨૦) બાલુભાઈ રહે. પોરબંદર તથા (૨૧) વિક્રમભાઈ કરશનભાઈ ઓડેદરા રહે. કોટડા તા. કુતિયાણા તથા (૨૨) રામભાઈ એરડા, તા. કુતિયાણા તથા (૨૩) બાપુ (બાવાજી) રહે. જેતપુર તથા (૨૪) જગુભાઈ ખારવા રહે. જાવર તા. પોરબંદર તથા (૨૫) વનરાજભાઈ ઓડેદરા રહે. શિશલી તા. પોરબંદરવાળા વિરૂદ્ધમાં જુગારધામ મુજબનો ગુન્હો રજીસ્ટર કરેલ છે.

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. જે.એ. ભગોરા, સબ ઈન્સ. જે.ડી. પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા તથા પો. હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજા તથા જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઈ ખીમાભાઈ બેરા તથા કિશનભાઈ મનસુખભાઈ માલકીયાએ વિગેરેનાઓએ કરેલ છે.(૨-૯)

(12:05 pm IST)