સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 11 લોકોના મોત : નવા 473 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 276 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 229 કેસ ,જૂનાગઢ તાલુકામાં 18 કેસ, માળીયામાં 54 કેસ,કેશોદમાં 34 કેસ, વંથલીમાં 31 કેસ,મેંદરડામાં 28 કેસ, વિસાવદરમાં 25 કેસ,માણાવદરમાં 20 કેસ, માંગરોળમાં 18 કેસ,ભેસાણમાં 16 કેસ નોંધાયા

નાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાએ વધુ 11 લોકોનો ભોગ લીધો છે આજે કોરોનાના નવા  473 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 276 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 473 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 229 કેસ ,જૂનાગઢ તાલુકામાં 18 કેસ, માળીયામાં 54 કેસ,કેશોદમાં 34 કેસ, વંથલીમાં 31 કેસ,મેંદરડામાં 28 કેસ, વિસાવદરમાં 25 કેસ,માણાવદરમાં 20 કેસ, માંગરોળમાં 18 કેસ,ભેસાણમાં 16 કેસ નોંધાયા છે

(10:16 pm IST)