સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

માળિયા તાલુકાના પ્રવાસે બ્રિજેશભાઇ

મોરબી : મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ માળિયા તાલુકાના સંગઠન અને ચૂંટાયેલી પાંખને સાથે રાખીને રોહીશાળા, વેણાસર, કુંભારિયા, વેજલપર, ખાખરેચી, વાદ્યરવા, અર્જુનનગર, ભારતનગર સહિતના ગામોનો લોક સંપર્ક પ્રવાસ કર્યો હતો. જે પ્રવાસ દરમિયાન લોકોને કોરોનાથી બચવા ગ્રામીણ કોરોના સેન્ટર ઉભા કરવા જેવી બાબતો અંગે સમજણ પૂરી પાડી હતી રોહીશાળા ગામે નર્મદાના સાયફનના પ્રશ્ન અને પીવાના પાણીના પ્રશ્ને રજૂઆત કરી હતી કુંભારિયા ગામમાં કોળી ઠાકોર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી વેણાસર ગામે ઊંચાણ વાળા વિસ્તારના પીવાના પાણીની મુશ્કેલીઓ અને સાગર સિંચાઈ ડેમના મરામત અંગે ગ્રામજનોએ માંગણી કરી હતી વેજલપર ગામે ખરીફ પાકના આગોતરૃં વાવેતર માટે સિંચાઈ પાણી મળે તેવી માંગ કરી હતી ખાખરેચી ગામે ઉપસરપંચ અને આગેવાનો સાથે કોવીડ કેર આઈસોલેશનની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી વાધરવા ગામે આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી હતી વિવિધ રજૂઆત સંદર્ભે ધારાસભ્યે સ્થળ પરથી જ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી પ્રશ્નો ઉકેલાય તે જોવા સૂચનાઓ આપી હતી તે તસ્વીર.

(12:48 pm IST)