સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

જોડીયા હોસ્પીટલને પૂનમબેન હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

 જામનગર : જોડીયા સરકારી હોસ્પીટલમાં એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાની વિગતો સ્થાનીક આગેવાન કાર્યકરો દ્વારા સંસદસભ્ય પૂનમબેન માડમને કરવામાં આવેલ જેના બે દિવસમાં જ પૂનમબેન માડમ દ્વારા નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવીને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.  આ સમયે વિસ્તારના ધારાસભ્ય  રાઘવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય  મેધજીભાઈ ચાવડા, જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જોડીયા તાલુકાના પ્રમુખ  ભરતભાઈ દલસાણીયા, જોડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ  ધનશ્યામભાઈ રાઠોડ, જીલ્લા પંચાયતના સભ્ય ચંદ્રીકાબેન જેઠાલાલ અઘેરા, જોડીયા સરપંચ, અને જામનગર જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મણવર, હોસ્પીટલના ડો.કુમાર, ડો.ડાંગર તથા આજુબાજુના ગામના આગેવાનો હાજર રહયા હતા. નવી એમ્બ્યુલન્સની આશરે રૂ.૧૭/- લાખ રૂપીયાની કિંમતની છે અને આધુનીક ટેકનોલોજી સજજ થયેલી છે અને જોડીયા તાલુકાના આસપાસના અને છેવાળા ગામને લાભદાયી થશે.

(12:47 pm IST)