સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

કોરોના મુકિત માટે જસદણના સાણથલીથી પરબધામ સુધી દંડવત કરતા-કરતા જવાની ટેક પૂર્ણ

(હસમુખ વસાણી દ્વારા) સાણથલી,તા. ૧૧: જસદણના સાણથલી ગામના વાસાવડ રોડ ઉપર આવેલ ખેતલીયા દાદાના મંદિર ના મહંત ગોવિંદ દાસ બાપુ ગુરુ કાલિદાસ બાપુ દ્વારા સાણથલી ગામ તેમજ સમગ્ર રાજય અને દેશમાં ફેલાયેલા કોરોના મહામારી પ્રકોપથી લોકોને ભારે વેદના અને દુઃખ સાથે અનેક લોકોએ પરિવારના સ્વજનો ગુમાવ્યા જેના કારણે વ્યથિત થઈને સમગ્ર ગામ રાજય અને દેશમાં સુખ શાંતિ અને મહામારી થી મુકિત મળે તેવા શુભ હેતુથી સાણથલી ખેતલા બાપાના મંદિર થી પરબ ધામ પરબ સુધી દંડવત કરતા કરતા જવાની આ કરી ટેક પૂરી કરવા તારીખ ૨૮ /૪ /૨૦૨૧ શરૂ કરી હતી જે તારીખ ૮/૫/૨૦૨૧ રોજ પૂરી કરીને સાણથલી પરત આવેલ ત્યારે ભાવિકો તેમજ ગ્રામજનો દ્વારા સામૈયા સાથે સ્વાગત કરેલ ગોવિંદ દાસ બાપુ એ ગામના બસ સ્ટેન્ડમાં હનુમાનજીના મંદિરે ઉપરાંત રામજી મંદિર રામદેવપીર મંદિર મેલડી માતાનું મંદિર સહિત દરેક મંદિરમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા સમગ્ર સમાજ તેમજ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી

(11:52 am IST)