સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

જામનગરમાં પરશુરામ જયંતિ નિમિત્તે સન્માન

જામનગરઃ બ્રહ્મસમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર જિલ્લા અને શહેર દ્વારા ભગવાન પરશુરામ ની વિશાળ શોભાયાત્રા પસાર કરવાંમાં આવી હતી. આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામ તેમજ અન્ય ધાર્મિક દેવીદેવતાઓના વેશભૂષામાં સજ્જ બ્રહ્મ સમાજના બાળકોને મહિલા બ્રહ્મ અગ્રણી અને વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા ડીમ્પલબેન રાવલ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા ૧૫ કરતાં વધૂ વર્ષ થી પરશુરામ જયંતિ માં ભાગ લેનાર બાળકો ને સન્માનીત કરવામાં આવે છે જે પરંપરા મુજબ આ વર્ષે પણ અલગ અલગ વેશભૂષા માં હાજર ૧૦૦ થી પણ વધુ બાળકો ને પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશીષભાઇ જોશી, મહિલા પાંખના પ્રીતિબેન શુકલ, મનીષાબેન સુંબળ, ભાવનાબેન દવે, નિશાબેન, વૈશાલીબેન જસમીનભાઈ ધોળકિયા, વિમલભાઈ જોશી અને જનકભાઈ ખેતીયા, એન.ડી.ત્રિવેદી તથા ભાસ્કર જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

(11:42 am IST)