સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

માંડવીના મોટા લાયજાના યુવાનની નિર્જન સીમાડેથી લાશ મળી : માથામાં પથ્થરના ઘા ના ઈજાના નિશાન :15 દિ પછી લગ્ન હતા

 

માંડવીના મોટા લાયજા ગામે ૨૧ વર્ષના અપરિણીત યુવકનું ભેદી સંજોગોમાં મૃત્યુ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

  અંગે મળતી વિગત મુજબ મોટા લાયજા ગામના મીતેશ બાબુલાલ દાતણીયા નામનો યુવક બપોરે સીમાડે આવેલી વાડીએ ગયો હતો. સાંજે માથામાં પથ્થરના ઘા થી ગંભીર રીતે ઘાયલ હાલતમાં નિર્જન સીમાડે પડ્યો હતો. બાદમાં ગંભીર ઈજાના કારણે તેનું મોત  નીપજ્યું હતું.

   બનાવ અંગે પ્રાથમિક માહિતી આપતાં પીઆઈ એમ.જે.જલુએ જણાવ્યું કે સ્થળ પર લોહીના નિશાનવાળો પથ્થર પડ્યો હતો અને લોહીના ટીપાં થોડેક દૂર સુધી ટપકેલાં જણાય છે. બાજુમાં ચપ્પલ પડી હતી. બનાવનું કોઈ પ્રત્યક્ષદર્શી નથી. તેના પરિવારજનોએ કોઈની પર શંકા વ્યક્ત કરી નથી. પોલીસે હાલ તુરંત અકસ્માત મોતની નોંધ પાડવા સાથે હત્યાના એંગલ પર તપાસ શરૂ કરી છે.

   મરનાર મિતેશના ૧૫ દિવસ બાદ લગ્ન થવાના હતા તેવું બહાર આવ્યું છે. જુવાનજોધ દીકરાના મોતની ઘટનાએ તેના સ્વજનોને સ્તબ્ધ કરી દીધાં છે.

(12:58 am IST)