સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

પોરબંદર જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝીટીવ કેસ નોંધાયા

રાણાવાવ,ભોડાદાર ,ગોરસર,કડિયા પ્લોટ અને નવો કુંભારવાડામાં 1-1 કેસ નોંધાયો

પોરબંદર : પોરબંદર જિલ્લામાં આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાણાવાવ,ભોડાદાર ,ગોરસર,કડિયા પ્લોટ અને નવો કુંભારવાડામાં 1-1 કેસ નોંધાયો છે આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

આજે 561 ટેસ્ટ કરાયા હતા અગાઉ 126911 સેમ્પલ ચકાસાયા હતા આજે વધુ 561 ટેસ્ટ કરતા કુલ 1,27,472 સેમ્પલ પરીક્ષણ કરાયા છે આજે નવા 5 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 993 થઇ છે જેમાંથી કુલ 962 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 34 દર્દીઓ સારવાર હેઠળ છે , અત્યાર સુધીમાં પોરબંદરમાં 58 અને અન્ય જિલ્લા અને રાજ્યના 45 મળીને કુલ 103 દર્દીના મૃત્યુ થયા છે

(9:31 pm IST)