સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

ધોરાજીમાં દર અઠવાડિયે ભરાતી રવિવારી બજાર કોરોના મહામારી ને લીધે બંધ રહી હતી.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં દર અઠવાડિયે ભરાતી રવિવારી બજાર કોરોના મહામારી ને લીધે બંધ રહી હતી.
રોજે રોજ નું કરી કમાતા અને રવિવારી બજારમાં સસ્તો માલ વેચી ઘર ગુજરાન ચલાવતા નાના વેપારીઓ અને પાથરણાં વાળા એ કોરોના મહામારી ને ધ્યાને લઈ સ્વેછીક રીતે રવિવારી બજાર બંધ રાખવા નિર્ણય લીધો હતો.
રવિવારી બજારનાં જગદીશભાઈ એ જણાવેલ કે ધોરાજી રવિવારી બજારમા પોતાનો માલ વેચવા દૂર દૂર થી નાના વેપારીઓ આવે છે. જે તમામ વેપારીઓ એ આવી સંકટની ઘડીમાં તંત્રને સહકાર આપવા રવિવારી બજાર બંધ રાખી હતી. અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ રાખવા જણાવ્યું હતું.

(5:04 pm IST)