ભાજપ જૂનાગઢમાં જીતે તો તમામ ૨૬ બેઠકો જીતે, મશરૂ સ્થાનિક લોકોની બેદરકારીના કારણે હારેલા
વડાપ્રધાનની સભા બાદ મીટીંગમાં ખળભળાટ સર્જતા મુખ્યમંત્રી રૂપાણી
રાજકોટ તા.૧૦: આજે બપોરે જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભા પૂરી થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે સોનગઢ સભામાં જવાના બદલે જૂનાગઢ રોકાઇ ગયેલા અને કૃષિ યુનિવર્સિટીના હોલમાં જ લોકસભા ક્ષેત્રના મુખ્ય આગેવાનોની બેઠક યોજી હતી જેમાં તેમણે સૂચક વિધાનો કર્યાનું જાણવા મળે છે.
જૂનાગઢ બેઠક ભાજપ જીતે તો રાજ્યની તમામ ૨૬ બેઠકો જીતે તેવું તેમણે માઇક પરથી જ બોલીને સૌને ચોંકાવી દીધાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીના આ વિધાન અંગે ભાજપના કાર્યકરો અલગ અલગ અર્થઘટન કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારના પ્રચારના માહોલ અંગે પણ તેમણે ટકોર કરી હતી.
એવું જાણવા મળે છે કે મુખ્યમંત્રીએ માઇક પરથી કહેલ કે ધારાસભામાં જૂનાગઢની બેઠક આપણા લોકોની બેદરકારીથી જ ગુમાવવી પડેલ નહિતર મશરૂ થોડા હારે?
મુખ્યમંત્રીએ ભાજપની તૈયારીની સમીક્ષા કરી અમૂક બાબતે 'સ્પષ્ટ' વાત કર્યાનું ચર્ચાઇ રહ્યું છ.