સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th March 2019

મીઠાપુરના સુરજકરાડીમાં સંવિધાન બચાવો અભિયાન

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના સુરજકરાડી ખાતે આવેલી ઓખા નગર પાલિકાની પેટા કચેરી સામે ગત તારીખ પ-૩-ર૦૧૯ના રોજ સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ એક દિવસીય અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ૧૦ ટકા આર્થિક આરક્ષણ, ઇ.વી.એમ., ૧૩ પોઇન્ટ રોસ્ટર સીસ્ટમ તથા આદિવાસી ખેડૂત ભૂમિ અધિગ્રહણનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત વ્યાપી સફાઇ કર્મચારીના આંદોલનને મુખ્ય મુદો બનાવી તેને સમર્થન આપવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સ્થાનિક ગુજરાત સફાઇ કામદાર મંડળ, યુથ મુવમેન્ટ, દ્વારકા જીલ્લા યુનિટ ભીમ આર્મી તેમજ બહુજન ક્રાંતિ મોરચાના સંગઠન જોડાયા હતા અને મોટી સંખ્યામાં માંડવો બાંધી પૂર્ણ શાંતિથી આ એક દિવસીય અભિયાન યોજાયું હતું. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)(૮.૧ર)

(11:53 am IST)