જેતપુરમાં બે સ્થળે તસ્કરો ત્રાટકયા ર.૮૦ લાખની મત્તા ઉસેડી ગયા
સાડીના કારખાનામાંથી કાપડનો જથ્થો અને ટાવરમાંથી જનરેટર ચોરી ગયા
જેતપુર તા.૧૧: શહેરમાં ર સ્થળોએ તસ્કરો કળા કરી રૂ. ર.૮૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા.
શહેરના અમરનગર રોડ શ્યામ ચેમ્બર્સમાં રહેતા મુળજીભાઇ પોપટભાઇ કાવરીયા જેઓ હરસિદ્ધિ કોટન નામનું સાડીનું કારખાનું ખીરસરા રોડ પર ધરાવે છે. તેઓ પોતાનું કારખાનું નિત્યક્રમ મુજબ સાંજે બંધ કરી ઘરે જતા રહેલ રાત્રીના કોઇ અજાણ્યા શખ્સોએ દરવાજો તોડી કારખાનામાં પ્રવેશી તેમા રાખેલ મલમલનું પ.પ. મીટરની ૬૦૦ સાડીનું કાપડ કિ.રૂ. ૭૯,૮૦૦ની ચોરી કરી ગયેલ હોય સવારે મુળજીભાઇએ કારખાનંું ખોલતા અંદરનો દરવાજો ખુલ્લો હોય અને સાડીનું કાપડ ન હોય ચોરી થયાનું માલુમ પડતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધેલ.
અન્ય બનાવમાં અત્રેના જૂનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિર પાછળ ખાનગી કંપનીના ટાવરમાં જનરેટર ફીટ કરેલ હોય જે કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોય કંપનીના કર્મચારી સુભાષભાઇ કરશનભાઇ કનારા (રહે. હરી ઁ નગર ઉપલેટા) એ શહેર પોલીસમાં પોતાની કંપનીના ટાવર માં ફીટ કરેલ કીયોસ્કર કંપનીનું જનરેટર કિ.રૂ. ર લાખની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવેલ. પોલીે બન્ને ગુન્હાની ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવા ચકો ગતિમાન કર્યા છે.(૧.૧૦)