સુરેન્દ્રનગર જિલ્લામાં કારડીયા રાજપૂત સમાજનું ભવાનીધામ નિર્માણ થશે : વજુભાઇ વાળા
વઢવાણ તા. ૧૧ : ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા ખાતે કારડીયા રાજપુત સમાજનો ૯ મો સમૂહ લગ્ન યોજાયો. જેમાં ૫૦ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડયા સમૂહલગ્નમા દરવર્ષની જેમ આ વર્ષ પણ કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહયા હતા તેમજ માજી સંસદ દિનુભાઇ સોલંકી અને માજી મંત્રી જશાભાઇ બારડ પણ ઉપસ્થિત રહયા હતા.
સીએમ વિજય ભાઈ રૂપાણી એ તમામ નવદંપતિને મેરેજ સર્ટીફિકેટ મોકલી આશીર્વાદ પાઠવ્યા હતા. વજુભાઇ વાળાએ જનમેદની સંબોધતા કહ્યું હતું કે ખોડલધામ અને ઉમિયાધામની જેમ સુરેન્દ્રનગર તાલુકામાં કારડીયા રાજપૂત સમાજનું માં ભવાનીધામનું થશે. ભવ્ય નિર્માણ ૧૭ એકર ની વિશાળ જગ્યા માં અંદાજે એક અબજના ખર્ચે નિર્માણ પામશે ભવ્ય મંદિર કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળા એ કરી જાહેરાત સુત્રાપાડા ખાતે કારડીયા રાજપૂત સમાજ ના સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વજુભાઇ વાળાએ મંદિર નિર્માણની કરી જાહેરાત કરીને સમાજના લોકોને અનુદાન માટે અપીલ કરી હતી.(૨૧.૨૦)