સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

જામજોધપુરમાં સ્વામિનારાયણ મંદિરે ત્રિવાર્ષિક પાટોત્સવઃ ભાવિકો ઉમટયાઃ

જૂનાગઢ- જામજોધપુરઃ શ્રી દેવુભગતની જન્મજયંતિનાં પવિત્ર દિવસે, વસંતપંચમી, શિક્ષાપત્રી જયંતિ નિમિતે ત્રિવાર્ષિક પાટોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ પ્રસંગે સવારે આરતી, અભિષેક, પૂજન, અન્નકુટ દર્શન, શાકોત્સવપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી રાધારમણદાસજી, સતપુરાણ ધામ આશ્રમનાં સંત જેન્તિરામ બાપા, જામજોધપુર કોઠારી સ્વામી જગતપ્રસાદ સ્વામી તથા વિવિધ સ્વામિનારાયણ મંદિરનાં સંતો ઉપસ્થિત રહ્યાં હતા, તેમજ મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યાં હતાં. જામજોધપુર શ્રી સ્વામિનારાયણ મંદિરે કોઠારી પૂ. જગતપ્રકાશદાસજી મહંતશ્રી પૂ. રાધારમણદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ત્રિવાર્ષિક પાટોત્સવની ઉજવણી પ્રસંગે સંતોની સત્સંગ સભા યોજાઇ હતી જેમાં ધુનડાના પૂ. જેન્તિરામ બાપા પૂ. નિલકંઠ ચરણદાસજી-સુરત, ચૈતન્યદાસજી વિવેકસાગર દાસજી, મેંદરડાના ભકિતપ્રકાશદાસજી દ્વારકા ગોવિંદપ્રસાદદાસજી જૂનાગઢ ના શ્રી પી. સ્વામી સહિતનાં સંતો હરિભકતો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા ( જામજોધપુર), વિનુ જોષી, મુકેશ વાઘેલા( જૂનાગઢ))(૧.૪)

(10:20 am IST)