News of Monday, 11th January 2021
જસદણની સોસાયટીમાં એકી સાથે છ શ્વાનોના મોત
જસદણ તા. ૧૧ :.. કમળાપુર રોડ પર આવેલ માંધાતા સોસાયટીમાં રવિવારે થોડા થોડા અંતરે એકી સાથે છ શ્વાનોના મોત નિપજતાં જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો છે. જસદણમાં એકપણ એરિયો વિસ્તાર શ્વાનો વગરનો નથી કેટલાંક એરીયામાં તો શ્વાનોના ટોળેટોળા હોવાથી લોકોને ત્રાસ પણ છે બીજી બાજુ જોઇએ તો જોળી વગરના ફકીર ગણાતાં આ શ્વાનો પેકી કેટલાય શ્વાનો વિવિધ રોગોથી પીડાય રહ્યા છે શ્વાનોના ખોરાક અને સારવાર અંગે કેટલાંક કાર્યકરો કાર્યરત છે પણ વસ્તી વધારો અટકે અને જરૃરી સારવાર મળે તે માટે તંત્ર નિંદ્રામાં હોવાથી આ પહેલાં શહેરની સાંકડી શેરીમાં શ્વાનોને મોતને ઘાટ ઉતારેલ હતા ત્યાં રવિવારે એકી સાથે છ શ્વાનો ટપોટપ મરણ પામતાં આ વિષય તપાસનો બન્યો છે.
(1:22 pm IST)