સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th January 2020

ખંભાળીયા ઘી નદી પરનો પુલ જર્જરીત પુલમાં ધ્રુજારીનો અનુભવ થાય છેઃ તંત્ર જાગે

ખંભાળીયા, તા., ૧૧: ખંભાળીયામાં પોરબંદર રોડ પર ખામનાથ મહાદેવ મંદિર પાસે આવેલો પુલ જર્જરીત થઇ જતા આ પુલ ભયજનક સ્થિતિમાં છે. જેના પર ખંભાળીયાથી ભાણવડ તથા પોરબંદર તરફ વાહનોનો ઘસારો રહે છે તથા ટ્રક જેવા ભારે વાહનો પસાર થતા પુલ ધ્રુજતો હોય તેવો અનુભવ થયા કરે છે.

અગાઉ પી ડબલ્યુડી  તંત્રને રજુઆતો થતા તેમણે આ પુલ પાલીકા વિસ્તારનો હોય તેમનાથી નહી થાય તેમ જણાવેલુ.

પાલીકા તંત્રએ આ પુલ નવો બનાવવાનું નક્કી કર્યુ છે પરંતુ આ અંગે બે-બે વખત પાલીકાની સામાન્ય સભામાં માત્ર ઠરાવ કરીને આગળ કઇ કાર્યવાહી ના કરતા જર્જરીત થઇ ગયેલો આ પુલ કોઇનો જીવ  લે ત્યારે તંત્ર જાગશે કે શુ? તેવો પ્રશ્ન પણ લોકો ુપુછી રહયા છે કે માત્ર ઠરાવો જ કરવાના કે કામ કરશે? તેવો પ્રશ્ન સામાન્ય જનમાનસમાં પુછાઇ રહયો છે.

(1:03 pm IST)