મેલાણા ગામની સીમમાં નાની બાળકી પર બળાત્કાર કરનાર મધ્યપ્રદેશનાં આરોપીને ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ
ભાવનગર : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનાં મેલાણા ગામની સીમમાં મજુરી કરતી બાળકી સાથે બળજબરીથી બળાત્કાર થયેલ હોય અને આ બાળકીને મુત બાળકનો જન્મ અલીરાજપુર (એમ.પી) થયેલ જે બનાવ અંગે ફરીયાદ જોબટ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશથી આવતા વલ્લભીપુર પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર થયેલ અને આ કામેનો આરોપી તથા ભોગ બનનાર મેલાણા ગામ તા. વલ્લભીપુર મુકામે મજુરી કરતા હોય બળાત્કાર કરી તેને જોબટ (એમ.પી) મુકી ત્યાંથી ભાગી ગયેલ હતો
આ આરોપી ગંભીર બનાવ કરી નાસ્તો ફરતો હોય પો.અધિ.પી.એલ માલએ તથા ના.પોઅધિ.પાલિતાણાનાંઓ એ વલ્લભીપુર પો.સ્ટે માં આ બળાત્કારના આરોપીને તાત્કાલીક ઝડપી પાડવાની સુચના આપેલ હોય અને ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ મ્હે.આઇ.જી.પી. સા. ભાવનગર રેન્જ ,ભાવનગર એ મધ્યપ્રદેશ તાત્કાલીક જવાની પરમીશન આપતા જે અન્વયે PSI ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. કાનજીભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. અમીતકુમાર મકવાણા તથા ડ્રા. પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ મોરી એ રીતેનાં સ્ટાફ મધ્યપ્રદેશ અલીરાજપુર તથા જોબટ તપાસ માં ગયેલ જયાં આરોપી પડધરી જી. રાજકોટ મુકામે હોવાની માહીતિ મળતા તુરત જ પો.હેઙકોન્સ. હરદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તુરત જ પડધરી મુકામે ગયેલ જયાં આરોપી ધુલસિંહ ઉફે ધુલીયા નરસિંહ ભીલ (ઉ.વ. ૨૦) ( રહે. મુળ- બલૈડી તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) મળી આવતા આરોપી ને ધોરણસર અટક કરવામાં આવેલ છે.