સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ અર્થે રવિવારે શાંતિ હવન યોજાશે.

મોરબી :ગત ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ અર્થે રવિવારે મોરબીમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના મોક્ષાર્થે તા. ૧૧ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી ૧ કલાક દરમીયાન ઝુલતા પુલ પાસે, મયુર હોસ્પિટલ, સ્વામીનારાયણ મંદિર બાજુમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે જે શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્ય આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવશે દુર્ઘટનાને ૪૨ દિવસ પૂર્ણ થતા મૃતકોની આત્માની શાંતિ અર્થે શાંતિ હવનનું આયોજન કરાયું છે જેમાં મોરબીની જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

(1:00 am IST)