સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

દિલ્હીની આગ દુર્ઘટના અને કાલાવડ પાસે થયેલા અકસ્માતના હતભાગીઓને પૂ.મોરારીબાપુ દ્વારા અઢી લાખની સહાય

ભાવનગર, તા., ૧૦: ગત રવિવારનો દિવસ દિલ્હીની અનાજમંડી માટે ખુબ કરૂણ હતો. વહેલી સવારે જયારે અનેક મજુરો નિંદ્રાધીન હતા તે વખતે બેગ બનાવતી ફેકટરીમાં અચાનક લાગેલી આગને કારણે ૪પ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં માર્યા ગયેલા મજુર લોકોના પરીવારને તત્કાલ સહાય માટે મોરારીબાપુએ શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે  પ્રત્યેક  મૃતકને પાંચ-પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે. દિલ્હી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ રાશી મૃતકોના પરીવારજનોને વિતરીત કરવામાં આવશે.

ગત ૬ ડિસેમ્બરને દિવસે જામનગરના કાલાવડ પાસે બેડીના એક મુસ્લીમ પરીવારને પણ કાર અકસ્માત નડયો હતો જેમાં ૬ વ્યકિતઓએ પોતાનો જીવ ગુમાવયો હતો. આ હતભાગી લોકોના પરીવારજનોને પણ મોરારીબાપુ દ્વારા શ્રી હનુમાનજીની પ્રસાદી રૂપે રૂપીયા પાંચ-પાંચ હજારની સહાયતા મોકલાઇ રહી છે આમ બંને ઘટનાઓની કુલ રાશી ર,પપ,૦૦૦ બે લાખ પંચાવન હજાર થાય છે.

(11:44 am IST)