પૂ. મોરારીબાપુ દ્વારકાધીશજી ભગવાનના દર્શને : પાદુકા-ધ્વજાજીનું પૂજન
દ્વારકા : દ્વારકાધીશના દર્શનાર્થે કથાકાર પૂ. મોરારીબાપુ આવ્યા હતાં તેઓએ દ્વારકાધીશજીના દર્શન કરી ભગવાન દ્વારકાધીશજીના કુંડમાં ભોગની મહાઆરતીમાં ઉપસ્થિત રહી ભાવભેર લોક કલ્યાણની ભાવના સાથે ભગવાનને મસ્તક નમાવી ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કરી ધ્વજાજીનું પૂજન કર્યું હતું. સવારના ૧૧ વાગ્યાની શણગાર આરતીમાં તેઓ દર્શન કરી પૂજારી નૈતાજી પાસેથી આશિર્વાદ મેળવ્યા હતા અને મંદિર પરિસરમાં પરીક્રમા કરી ઠાકોરજીને તેમનો ભકિત સાથે ભાવ અર્પણ કર્યો હતો. અમદાવાદની રથયાત્રા પરિવાર આયોજીત કાર્યક્રમમાં દ્વારકા ખાતે મોરારીબાપુ આજે આખો દિવસ રોકાણ કર્યું છે. બાપુએ જણાવ્યું હતું કે ભાગવત એ ઠાકોરજીનું સ્વરૂપ છે અને તે કથા સ્વરૂપે દ્વારકામાં યજમાનો દ્વારા યોજાય છે તે સારી વાત છે. તસ્વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી-દ્વારકા)