સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th December 2018

કચ્છના માલધારીઓ હિજરત કરીને સાણંદના ઈયાવામાં પહોંચ્યા

માલધારીઓએ ઢોર ઢાંખર બચાવવા કર્યો ખુલ્લામાં મુકામ:આસપાસના લોકો દ્વારા સહાય

સાણંદ તાલુકાના ગામ ઈઆવા પાસે કચ્છના માલધારીઓ છેલ્લા કેટલાક સમયથી આવેલ છે. પંથકમાં પાણીની અછતને પોતાના જીવન તથા પોતાના ઢોર-ઢાંખરને બચાવવા માલધારીઓ પરિવાર સહિત હિજરત કરીને ઇઆવા આવી પહોંચ્યા હતા

  જોકે ઉપર છત અને નીચે જમીન વચ્ચે ખુલ્લામાં જીવી રહ્યા હોવા છતાં રાજય સરકાર તરફથી કોઈ સહાય મલતી નથી. આસપાસના લોકો તથા અન્ય લોકોના સહાય દવારા તેઓ જીવન બસર કરી રહ્યા છે.

(9:04 am IST)