સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

સુરેન્‍દ્રનગરના ટીંબા ગામની ઘટના : બળાત્‍કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્‍મહત્‍યા કરી

જીલ્‍લા કલેકટરશ્રીને વેલનાથ સમાજે રેલી યોજી આવેદન પત્ર અપાયુ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનાના 8 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા વેલનાથ સમાજે રેલી યોજી હતી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ મામલે રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આવા બળાત્કાર કરનારા નરાધમને જાહેરમા ફાંસી આપવામાં આવે એવી સમાજે ઉગ્ર માગણી કરી હતી. આ ગોઝારી ઘટનાના 8 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા વેલનાથ સમાજે રેલી યોજી હતી.

આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ મામલે રજૂઆત કરી હતી. ખેતરમાં કામ કરતા પરિવારમાં પતિને ચા-ખાંડ લેવા મોકલી અને ખેતર માલિકે જ બળાત્કાર કર્યો હતો. આ મામલે 200થી વધુ લોકોએ રેલી યોજી અને આરોપીને ઝડપી અને કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.

(10:53 pm IST)