વિરપુરના ગાદીપતિ કયારેય ગાદીએ નથી બેસતા
જલારામ બાપા ઢોલિયે બાજુમાં જે બિરાજે છે એ હરિરામજી ભગત એ ચાર વેદ ના જાણકાર અને ત્રિકાળ જ્ઞાની અને ભકિત પારાયણ હતા બચપન મા સ્કૂલે જતા હતા ત્યારે જલારામ બાપા એ એને બાજુમાં બોલાવી ખોળામાં બેસાડી પોતાના મોઢા રહેલ પ્રસાદમાંથી કણક બાળક હરિરામને ચખાડી ત્યાજ એ ચારેય વેદ મોઢે થઈ ગયેલ હરિરામ ભગત એ કાળારામ ભગત વસાણીના દીકરા હતા કાળારામ એ ભકિતરામભગત વસાણી અને જલારામ બાપાના દીકરી પૂજય જમનાબેનના દીકરા હતા અને ભકિતરામ ભગત પૂજય જસુમા કોટડાપીઠા વાળાના દીકરા હતા, આમ ભાણેજ કાળા રામના દીકરા હરિરામ ભગત વસાણીને જલારામ બાપા એ દતક લેતા એ વસાણી માંથી ચાંદ્રાણી થયા અને વીરપુર ના પ્રથમ ગાદીપતિ થયા હરિરામ ભગતના દીકરા ગિરધરરામજી ભગત અને ગિરધર બાપાના દીકરા જયસુખ રામજી ભગત અને જયસુખ બાપાના દીકરા રઘુરામજી ભગત હાલ વીરપુરના ગાદીપતિ છે મહત્વનુ અને ધ્યાન આકર્ષક જલારામ બાપાના આ પરિવાર કયારેક ગાદીએ બેસી કોઈને પગે લાગવા નથી દેતા અને પૂજન કરવાં દેતા નથી ફકત મંદિરમા રામજી ને અને જલાબાપા ની જગ્યા અને એજ ગાદી પતિ એવું કહે છે ફકત અને તો બાપાના વ્યવસ્થાપક તરીકે સેવાજ આપીએ છીએ જય હો બાપાનો તેમજ એમના સત્ય ના પથ પર ચાલતા પરિવાર નો...