સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

મોરબીના ચાચાપર ગામે એક જ કુટુંબના યુવાન અને સગીરાનો ગળેફાંસો ખાઇ આપઘાત

બંધ મકાનમાં અમુભાઇ ચૌહાણ (ઉવ.૩૦) અને પાયલ (ઉવ.૧૫) એ જીવાદોરી ટુંકાવી લીધી : કારણ અંગે પોલીસ દ્વારા તપાસ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૦: મોરબી તાલુકાના ચાચાપર ગામે સગીરા અને યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ ઙ્ગમોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા અરજણભાઈ મગાભાઇ ચૌહાણ રહે વણકરવાસ વાળે તાલુકા પોલીસ મથકમાં નોધાવ્યું છે કે તેમના કુંટુંબના અમુભાઈ ભોજાભાઈ ચૌહાણ ઉ.વ.૩૦ અને પાયલબેન તુલશીભાઈ ચૌહાણ ઉ.વ.૧૫ રહે બને ચાચાપર વાળાઓએ લક્ષ્મણભાઈ મોતીભાઈ ચૌહાણના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપદ્યાત કરી લીધો છે બનેના મુતદેહ નેઙ્ગ પી.એમ. માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે આપઘાતના કારણ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરી છે.

(12:32 pm IST)