મોરબી વાહન ઓવરટેક મામલે ત્રણ ઇસમોએ બિહારી યુવાનને ધોકાવી નાખ્યો
મોરબી તા ૧૦: મોરબી વાહન ઓવરટેક મામલે ત્રણ ઇસમોએ બિહારી યુવાનને ધોકાવી નાખ્યો.
મળતી વિગત મુજબ મોરબીમાં વાહન ઓવરટેક કરવાનો ખાર રાખીને ત્રણ ઇસમોએ પરપ્રાંતીય કોન્ટ્રાકટરને માર મારી ઈજા પહોંચાડી હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મૂળ બિહારના વતની અને હાલ વેજીટેબલ રોડ મોરબી-૨ માં રહેતા મનીષરંજનકુમાર રમેશપ્રસાદ સાહીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે ઓવરટેક કરવાનો ખાર રાખીને આરપી જયદીપ દરબાર, કુલદીપ દરબાર રહે બંને વેજીટેબલ રોડ મોરબી ૨ અને લાલભાઈ દરબાર રહે રામકૃષ્ણનગર મોરબી ૨ એમ ત્રણ ઇસમોએ ગાળો બોલી ઢીકા પાટું માર મારીને લાકડી વડે માર મારી ઈજા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.