સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જામનગરના સુભાષપાર્કમાં જીવંત વીજવાયર તૂટતાં બાળકનું કરૂણમોત :પ્રૌઢ ગંભીર : લોકોમાં ભારે આક્રોશ

સ્થાનિકો PGVCL કચેરીએ પહોંચ્યા : ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને હલ્લાબોલ કરતા રોષ ઠાલવ્યો

જામનગર શહેરનાં સુભાષપાર્ક વિસ્તારમાં જીવંત વીજ વાયર તૂટતા એક બાળકનું મોત નિપજ્યું હતું. જયારે એક  પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીજ વાયર તૂટીને બાઈક ઉપર પડ્યો હતો. આ દુર્ભાગ્ય પૂર્ણ આ ઘટનામાં 12 વર્ષના પ્રદીપ મકવાણાનું મોત થયું હતું જયારે  50 વર્ષીય અમરીશભાઈ બારિયા નામના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિકો PGVCL કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને હલ્લાબોલ કરતા રોષ ઠાલવ્યો હતો.

(10:06 pm IST)