રાણાવાવમાં પરપ્રાંતિય જયોતિષ દિપક જોષીની કપટલીલાનો સંકેલો કરાવતી વિજ્ઞાન જાથા
પોરબંદર જિલ્લાના રાણાવાવમાં છેલ્લા બે માસથી ભાડાના મકાનમાં રહેતા દિલીપ તેજમલ જોષી દ્વારા જયોતિષના નામે લોકોને ખંખેરવાનું શરૂ કરાયુ હતુ : દુઃખ નિવારણ અર્થે રૂ.૫૦૦ થી રૂ.૩૧૦૦૦ સુધીની ફી વસુલાતી હતી : ભ્રામક પત્રિકા બહાર પાડી લોકોને છેતરવામાં આવતા : આ રાજસ્થાની જયોતિષની સાથે બે સાગ્રીતો પણ કામ કરતા હતા : છેતરાયાનો અનુભવ કરનારાઓએ ભારત જન વિજ્ઞાન જાથાના કાર્યાલયે જાણ કરતા પોલીસને સાથે રાખી વિધિવત પર્દાફાશ કરાયો હતો : રાણાવાવ પી.એસ.આઇ. શ્રી ઝાલાએ ફાળવેલા સ્ટાફ જાથાની ટીમની સાથે રહેલ : ઢીલાઢફ થઇ ગયેલા જયોતિષ દિલીપભાઇએ તુરંત ભુલ કબુલી લઇ આ બધુ બંધ કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડાયો હતો : છેતરાયેલા લોકોએ રોષ વ્યકત કરેલ પરંતુ પોલીસે કાયદો હાથમાં ન લેવા કડક નિર્દેશ આપી જયોતિષને સુધરી જવાની તક અપાઇ હતી : વિજ્ઞાન જાથાનો ૧૧૭૬ મો સફળ પર્દાફાશ રહ્યાનું રાજયના ચેરમેન એડવોકેટ જયંતભાઇ પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.