સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

કલ્યાણપુરના રાણ ગામના વાડી વિસ્તારમાંથી સતવારા યુવકનો મૃતદેહ મળ્યો

પત્ની સામે ભરણપોષણનો કેસ ચાલતો'તો

ખંભાળીયા તા. ૧૦: દેવભુમિ તાલુકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ગઇકાલે સાંજે વાત વિસ્તારમાં આવેલા એક  નાલામાં ગઇકાલે સાંજે વાડી વિસ્તારમાં આવેલા એક મળતા  ભારે દોડાદોડી મચી ગઇ હતી.

૧૦૮ને જાણ થતા  તેમણે એમ્બ્યુલન્સની મદદથી આ લાશને હોસ્પિટલે પહોચાડી હતી. જ્યાંથી પી.એમ. કરવા માટે જામનગર ખસેડવામાં આવેલ છે.

આ વિસ્તારમાં રહેતા મોહન નામના અજાણ્યા યુવાનની લાશ હોવાનુ બહાર આવ્યુ છે જેની સામે તેના પત્ની ભરણ પોષણનો કેસ ચાલતો હોવાનુ પણ કહેવાય છે. તેના ભાઇએ મૃતદેહની ઓળખ કરતા વધુ તપાસ પોલીસ ચલાવે છે. આ ખૂન કે આત્મહત્યા તે પી.એમ. પરથી ખુલશે.

(1:14 pm IST)