સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જામનગરમાં ડેન્ગ્યુનો હાહાકારઃ કુલ ૮ મોત

જામનગર તા. ૯ :.. જામનગરમાં ડેન્ગ્યુનો હાહાકાર સમવાનું નામ નથી લેતો ડેન્ગ્યુથી જામનગરમાં અત્યાર સુધીમાં ૮ ના મોત નોંધાયા છે. ગઇકાલે બપોરે જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયેલ ર૩ વર્ષના આશાસ્પદ યુવાન બાબુભાઇ મેરૂભાઇ આંબલીયાનું મોત નિપજયું છે. હાલ પણ ડેન્ગ્યુના પ કેસો જી. જી. હોસ્પિટલમાં અને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ૩૭ પોઝીટીવ અને ૧ર જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા છે.

(1:09 pm IST)