જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની નવરાત્રી મહોત્સવ સંપન્ન
જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા ખંલીલપુર ચોકડી નજીક દેશી પકવાન પાસે સતત ત્રીજા વર્ષે ભૂદેવ પરિવારો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયેલ જેમાં ગતરાત્રે ખેલૈયાઓને ઇમામો અપાયા હતા તેમજ આ નવરાત્રી મહોત્સવમાં રાજયના પ્રવાસન વિભાગના કેબીનેટ મંત્રી જવાહરભાઇ, જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, એસ.પી. સૌરભસિંઘ તેમજ સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં રાસની રમઝટ બોલાવતા ખેલૈયા તેમજ ઉપસ્થિત કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા સાથે પત્રકાર વિનુભાઇ જોષી અને બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોશી, કાર્તિક ઠાકર, પ્રમુખ આશિષ રાવલ અને આ મહોત્સવના કન્વીનર પુનિત શર્મા વગેરે કલેકટર સૌરભ પારધી અને એસ.પી. સૌરભસિંઘ સાથે નજરે પડે છે. ગતરાત્રે આ નવરાત્રી મહોત્સવ ખૂબ ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો અને સફળ બનાવવા સમગ્ર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)