સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જૂનાગઢના મેંદરડા પાસે પુલ તૂટવાના લીધે વિદ્યાર્થીઓને ભારે પરેશાની :ડાયવર્ટ રૂટનું અંતર 50 કિમી જેટલું વધ્યું

વિદ્યાર્થીઓ તૂટેલા બ્રિજ પરથી જીવના જોખમે પસાર થાય છે

જૂનાગઢના મેંદરડા પાસે પુલ તૂટવાના લીધે વિદ્યાર્થીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ પુલ પસાર કરતા જોવા મળી રહ્યા છે. પુલ તૂટવાના લીધે ડાયવઝન આપવામાં આવ્યું હતું

  પરંતુ આ ડાયવર્ટ રૂટનું અંતર 50 કિમી જેટલું વધી જાય છે જેના લીધે વિદ્યાર્થીઓ તૂટેલા બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે પુલ તૂટવાના લીધે વિદ્યાર્થીઓ જીવના જોખમે પુલ પાર કરી રહ્યા છે પરંતુ આંધળું તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું.

(1:04 pm IST)