સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ઉપલેટામાં લોહાણા મહિલા મંડળ દ્વારા અન્નકોટ

ઉપલેટાઃ લોહાણા મહિલા મંડળ દ્વારા દરરોજ નવરાત્રી દરમિયાન રાસ ગરબાનો સતીમાતાજીના સાનીધ્યમાં  લે છે. સતી માતાજીની ડેરીએ અન્નકોટનું આયોજન કરવામાં આવેલ હતુ. આ આયોજનના ભાગરૂપે એક-એક ઘરેથી લોહાણા સમાજની મહિલાઓ એક-એક સામગી બનાવીને લાવેલ હતી. આ સામગ્રીથી પૂ.જલારામબાપા અને સતી માતાજીને અન્નકોટ ધરવામાં આવેલ હતો. મંડળના રીટાબેન ગણાત્રા, પ્રવિણાબેન નથવાણી, વસંતબેન રૂપારેલીયા, બેલાબેન રાયચુરા, ઇન્દુબેન ધોકાઇ, રેખાબેન સચદેવ, જાગૃતિબેન ચંદારાણા, દિપાબેન કાછેલા, અજુબેન ઉનડકટ, બિન્દુબેન માખેચા, રાખી પારેખ, શીલાબેન ગણાત્રા  અને સોનલબેન કાછેલાએ જહેમત ઉઠાવી હતી. અન્નકોટ યોજાયો તે તસ્વીર.

(11:52 am IST)