સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જિંદગીથી કંટાળીને વંથલીના આખા ગામના હરસુખનો શાપરમાં આપઘાત

શાપર વેરાવળ રહી કડીયા કામની મજૂરી કરતો'તોઃ વણકર પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૦: વંથલી તાબેના આખા ગામમાં રેતાં હરસુખ કાનાભાઇ સોલંકી (ઉ.૨૫) નામના વણકર યુવાને શાપર વેરાવળમાં શાપરના પાટીયા પાસે ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર હરસુખ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો અને કેટલાક સમયથી શાપર રહી કડીયા કામની મજૂરી કરતો હતો. જિંદગીથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યાનું તેના ભાઇએ જણાવ્યું હતું. મૃતદેહને અંતિમવિધી માટે આખા ગામ લઇ જવાયો હતો.

(11:50 am IST)