News of Thursday, 10th October 2019
જેતપુરમાં તૂટેલાં રસ્તાને લઈને રોષે ભરાયેલ વેપારીઓ પાલિકાએ દોડ્યા: અધિકારીઓ નહિ દેખાતા સુત્રોચાર કર્યા
દોઢેક મહિનાથી રસ્તા પર માટીના ઢગલા ખડકી દઇ રસ્તો બંધ કરી દેવાયો
જેતપુર : શહેરના સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધીના તૂટેલા રસ્તાને લઇને વેપારીઓમાં રોષ ફેલાયો છે. પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોચેલા વેપારીઓને કોઇ અધિકારી ન દેખાતા સુત્રોચ્ચાર કર્યો હતો.
દોઢેક મહિનાથી રસ્તા પર માટીના ઢગલા ખડકી દઇ રસ્તો બંધ કરી દેવાયો છે. આ રોડ છેલ્લા પચાસેક દિવસથી બંધ હોવાથી સ્થાનિક વેપારીઓ ધંધા રોજગાર વગરના થઈ ગયા છે. વેપારીઓએ તાલ્કાલિક રોડનું સમારકામ કરવાની માંગ કરી છે.
(9:52 pm IST)