જામકંડોરણામાં ભાદરવી અમાસનો લોકમેળો યોજાયો : જયેશભાઇ રાદડીયા હસ્તે ઉદ્ઘાટન
જામકંડોરણા, તા. ખજુરડા રોડ ઉપર આવેલ શ્રી નાગબાઇ માતાજી તથા નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ ભાદરવી અમાસના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો.
ઉદઘાટના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ તકે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, વિઠ્ઠલભાઇ બોદર, ભીમદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ગૌતમભાઇ વ્યાસ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
લોકમેળામાં ચકરડી, ફજર ફાળકા, ટોરાટોરા તથા રમકડા સહિતના વિવિધ રાઇડોની જામકંડોરણા તાલુકાની જનતાએ લાભ લીધો હતો તેમજ મેળામાં દિવસ દરમ્યાન પ્રખ્યાત કાનગોપીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ જેનો પણ લોકએ લાભ લીધો હતો. મંદિરના મહંતશ્રી ચંદનગીરી બાપુએ મેળામાં પધારેલ દરેકને આવકારેલ આ મેળો જામકંડોરણા શહેર તેમજ તાલુકાની જનતાએ મન ભરીને માણ્યો હતો. (૯.ર)