જામનગરમાં કોરોના વોરિયર પોલીસ કર્મીનું કોરોનાથી મૃત્યુ : હોસ્પિટલ પરિસરમાં જ અપાયું "ગાર્ડ ઓફ ઓનર"
કોરોનાનાં કપરાકાળમા ફ્રન્ટ લાઇનમાં રહી પોલીસ કર્મીઓ લડી રહ્યા છે, તેવામાં ફરી એક પોલીસ કર્મીનું કોરોનાનાં કારણે મોત નીપજતા શોકનો માહોલ છવાયો છે જામનગરમાં એક પોલીસકર્મીનું કોરોનાથી નિધન થયું છે છે. જામનગરનાં આ મૃતક પોલીસ કર્મીને 3 દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવતા પોલીસ કર્મીને જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન આજે બપોર બાદ તેમનુ કોરોના સામેની ફાઇનલ લડાઇમાં હારી જતા મૃત્યુ નીપજ્યું હતું. કોરોના વોરિયર પોલીસ કર્મીનું કોવિડ હોસ્પિટલ પરિસરમાં જ ગાર્ડ ઓફ ઓનર અપી સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચેતન જોશી નામના પોલીસ કર્મચારીનું કોરોનાથી મોત થતા સમગ્ર પંથક અને ખાસ કરીને જામનગર પોલીસ બેડામાં સન્નાટો છવાય ગયાનું પ્રતિત થઇ રહ્યું છે.