ઉનામાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગઃ પ બાઇક સળગી ગયાં: જાનહાનિ નથીઃ સીસીટીવી કેમેરા બંધ
આગના કારણ અંગે તપાસઃ ફાયર ફાઇટરોએ આગ કાબુમાં લીધી
ઉના તા. ૧૦: અહીં નાગનાથ મંદિર પાસે એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં રાત્રે આગ લાગતા પ બાઇક સળગી ગયાં હતાં. રાત્રે પાર્કિંગમાં કોઇ હોય નહિં જાનહાનિ થઇ નથી. ફાયર ફાઇટરો સમયસર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આગના કારણની તપાસ થઇ રહી છે.
નાગનાથ મંદિર પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગી રાત્રીના બાર વાગ્યા આસપાસ આગનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી. કોઇ આવારા તત્વોએ લગાડી આગનું પ્રાથમિક તારણ લાગે છે આગ લાગતા પાંચ મોટર સાયકલ બળી ગયેલ હતી.
કોમ્પ્લેક્ષમાં રહેતા લોકોને જાણ થતા મોટી આગની દુર્ઘટના ટળી ગઇ. આ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીના સાધનો નવીને સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે સ્થાનીક લોકોએ ફાયર ફાયટરને જાણ કરતા આગ કાબૂમાં લીધે હતી. ઉના પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.