સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

કેશોદના અજાબમાં ઝઘડામાં માથામાં કુહાડી વાગતા કોમામાં સરી પડેલ વ્યક્તિનું સાત મહિના બાદ મોત

સુરાપુરાના મંદિરમા નાળીયેર વધેરવાના મુદ્દે ઝઘડો થયો હતો

 

કેશોદના અજાબ ગામમા સાત મહિના પહેલા થયેલ ઝઘડામા માથામા કુહાડી વાગતા કોમામા સરી પડેલ વ્યક્તિનું સાત મહિના બાદ મોત થયું છે.

  ઝધડા બાબતે મરનારના પુત્રએ જણાવ્યુ હતું કે તેના પિતાને સુરાપુરાના મંદિરમા નાળીયેર વધેરવાના મુદ્દે ઝઘડો થતા. વેલજીભાઇ નામના સખ્શે માથામા કુહાડી મારતા તે કોમામા સરી પડયા હતા.

 જોકે સાત મહિના પહેલા તેની ફરિયાદ કરાઇ હતી. લાંબા સમયની સારવાર બાદ તેમનું સારવાર બરાબર ન થવાથી મૃત્યુ થયું છે. પોલિસે પોસ્ટમાર્ટમના રિપોર્ટના આધારે સાચુ કારણ જાણી આગળની કાર્યવાહિ કરવાની વાત કરી હતી.

(11:03 pm IST)