News of Friday, 10th July 2020
કચ્છને કોરોનાનો ભરડો યથાવત : આજે વધુ ૫ કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો ૨૩૨ થયો
ગાંધીધામમાં ૩ અને મુન્દ્રા,રાપરમાં એક એક કેસ, આજે ૧૧ જણને રજા અપાઈ સાજા થનારા દર્દીઓ વધીને ૧૪૯ થયા
ભુજ: કચ્છમાં આજે ગાંધીધામમાં એક સાથે ૩ કેસ સાથે કુલ ૫ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં
ગાંધીધામના ૩ કેસમાં રેલવે કોલોની, જૂની સુંદરપુરી અને ગળપાદરમાં એમ ત્રણ જણને કોરોના વળગ્યો છે. જ્યારે અન્ય બે કેસમાં મુન્દ્રામાં વર્ધમાનનગર અને રાપરમાં ખત્રી વાસમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. આજે તમામ દર્દીઓ પુરુષો છે. જેમાં ગાંધીધામના એક અને મુન્દ્રાના એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જ્યારે અન્ય ૩ સ્થાનિકે સંક્રમિત થયા છે. જોકે, કચ્છમાં આજે ૧૧ જણાએ કોરોનાએ હરાવતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધીને ૧૪૯ જેટલી નોંધપાત્ર થઈ છે.
કચ્છ કોરોનાની આંકડાકીય માહિતી મુજબ કુલ દર્દીઓ ૨૩૨, સાજા થયેલા ૧૪૯, હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ૭૪ અને મૃત્યુ પામનાર ૯
(8:50 pm IST)