સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th July 2018

ઉનાના ગીરગઢડા રોડ ઉપર પેશકદમી દૂર કરવા પ્રાંત અધિકારીને રજૂઆત

ઉના તા.૧૦ : ગીરગઢડા રોડ ઉપર પેશકદમી કરી બાંધકામ કરાતુ હોય તપાસ કરી પગલા લેવા પ્રાંત કચેરીએ રજૂઆત કરાય છે.

આર.ટી.આઇ. એકટીવીસ્ટ એશોસિએશનના પ્રદેશ પ્રમુખ ભીખુભાઇ બાટાવાલાએ ઉનાના પ્રાંત અધિકારી તથા જીલ્લા કલેકટર ગીરસોમનાથને લેખીતમાં રજૂઆત કરી છે. શહેરમાં ગીરગઢડા રોડ ઉપર બાંધકામની મંજુરી મુજબ કરાતુ નથી. સાર્વજનીક પ્લોટની પણ અમુક જગ્યા બાંધકામમાં દબાવેલ હોય. ગેરકાયદેસર બાંધકામ દૂર કરી પગલા લેવા માંગણી કરી છે.

(11:54 am IST)