સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

જામકંડોરણા ખાતે ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ૮૫૩મી જન્મ જયંતી નિમિત્તે: ભવ્ય શોભાયાત્રા નીકળી

જામકંડોરણા , તા.૧૦: ચક્રવર્તી હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ની ૮૫૩ મી જન્મ જયંતી નિમિતે રાજપુતાના અંદાજથી જામકંડોરણામા ક્ષત્રિય સમાજ દ્રારા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવા આવ્યુ હતુ આ શોભાયાત્રા જામકંડોરણાના ક્ષત્રિય સમાજ થી પ્રસ્થાન કરી બસ સ્ટેન્ડ વિસ્તાર કાલાવડ રોડ ભાદરા ના નાકે મેઈન બજાર પટેલ ચોક થઈ ને પટેલ સમાજ ખાતે આવી હતી. પટેલ સમાજ ખાતે ચક્રવર્તી પૃથ્વીરાજ ચૌહાણની જન્મ જયંતી પર સભાનુ આયોજન કરવા આવ્યુ હતુ આ સભા માડ આશ્રમના સ્વામી ચંદ્રચૈતન્ય કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવ ના હસ્તે દિપ પ્રાગટય કરી સભા સંબોધી હતી હિન્દુ સમ્રાટ ચક્રવર્તી પ્રુથ્વીરાજ ચૌહાણ ના સંસ્મરણો વાગોળી ને યાદ તાજી કરી હતી જામકંડોરણા ના આંચવડ બરડીયા અને ચાવંડી ગામોના ચૌહાણ પરિવારના ભાઈઓ તથા જામકંડોરણાના યુવાનોમાં શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા.

(12:17 pm IST)