સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોવિડ-બિનકોવિડમાં ૯ મોતઃ ૨ દિ'માં ૧૩૩ કેસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૦ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં રાફડો ફાટયો હોય તેમ બે દિવસમાં ૧૩૩ પોઝીટીવ કેસો થતા હોસ્પીટલ ચિક્કાર થઈ ગઈ છે.

ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં શનિવારે નવા ૫૮ કેસો નોંધાયા હતા. જેમાં ખંભાળિયામાં ૨૦, કલ્યાણપુરમાં ૧૦, ભાણવડમાં ૨૦ તથા દ્વારકામાં ૮ નોંધાયા હતા. જ્યારે કુલ ૫૬ ડિસ્ચાર્જ થયા હતા. જેમાં ખંભાળિયામાં ૨૩, કલ્યાણપુરમાં ૧૫, ભાણવડમાં ૧૨ તથા દ્વારકામાં સાત ડિસ્ચાર્જ થયા હતા.

કોરોના મહામારીના કેસોની સંખ્યામાં વધારો થતા એકટીવ કેસની સંખ્યા ૬૬૮ થઈ છે તો કોવિડમાં વધુ ત્રણ અને બીનકોવિડમાં છ મોત થતા કુલ નવના મોત થયા છે.

(1:25 pm IST)