સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

જેતપુર શહેર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે સમીક્ષા કરતા રાદડીયા

(નિતીન વસાણી) નવાગઢ,તા.૧૦:  કોરોના સંક્રમણની ચેઈન તોડવા શું શું કરી શકાય તે અંગે વેપારી મંડળો આગેવાનો અને વહીવટીતંત્ર સાથે મામલતદાર કચેરી સભાખંડમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ સમીક્ષા બેઠક યોજી હતી, અને વિવિધ સંસ્થા અને વેપારી મંડળો , આગેવાનો, પાસેથી મંતવ્યો જાણ્યા હતા.

રાજયમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી સરકાર દ્વારા વિવિધ તકેદારીના પગલાં લઈ કામગીરી કરવામાં આવી રહી છે એ સંદર્ભે જેતપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અંગે વધુમાં વધુ સાવચેતી રાખવામાં આવે અને તકેદારીરૂપે આગામી દિવસોમાં સ્વૈચ્છિક રીતે શું શું કરી શકાય તે અંગે જેતપુર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર શહેર ના વિવિધ વેપારી મંડળો .માર્કેટિંગ યાર્ડ . સામાજિક આગેવાનો અને વહીવટીતંત્રને સાથે રાખીને કોરોના સંક્રમણ સામે લોકોની સુરક્ષા વધે એ બાબતે સમીક્ષા કરી હતી.

કોરોનાના સંક્રમણ અટકાવવા માટે આગામી દિવસોમાં આ તમામ વેપારી મંડળો સંસ્થાઓ ઓએ સાથે મળીને સ્વૈચ્છિક રીતે જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકના લોકો માટે શું કરવું તેનો નિર્ણય સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે જે લોકો પોતાનું રોજેરોજનું કમાઈને પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવા નાના લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને નાના ધંધા રોજગાર ને પણ અસર ન થાય તે પ્રમાણે સ્વૈચ્છિક રીતે સંસ્થાઓએ સાથે મળી સંક્રમણને રોકવા માટે આગામી દિવસોમાં નિર્ણય કરે જેનાથી કોરોના સામે લોકોની સુરક્ષા વધે. તે મુજબ સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવા જણાવ્યું હતું . અને હાલ જે વેકિસનેશનની કામગીરી થઈ રહી છે તેમાં હજુ વધુ વેગ મળે તે માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકરણનો વ્યાપ વધે તેવા પ્રયાસ જરૂરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું અને લોકો રસીકરણ માટે રસીકરણબુથસુધી આવે તે માટે સ્થાનિક સંસ્થાઓ સહભાગી બને તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે જેતપુર શહેર મામલતદાર વિજય કારીયા જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી. એ . ગિનિયા જેતપુર જેતપુર સિટી પી.આઈ જે.બી. કરમુર બ્લોક હેલ્થ ઓફિસર ડોકટર સાપરિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વસંત પટેલ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા સુરેશભાઈ સખરેલીયા અગ્રણી સુભાષભાઈ બાંભરોલીયા દિનકરભાઈ ગુંદરિયા રામભાઈ જોગી. ઉમેશભાઈ પાદરીયા પ્રવીણભાઈ ગજેરા સહિત વિવિધ વેપારી મંડળોના પદાધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:42 pm IST)