સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

ભાવનગરના ત્રણ વકિલોના નિધનથી વકિલ મંડળમાં શોક

ભાવનગર,તા.૧૦:  સીવીલ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને શહેરનાં નામાંકીત એડવોકેટ બી.એલ.જોશીનું દુઃખદ નિધન થયું છે અને વકીલ મિત્રોમાં 'મહારાજા'ના હુલામણા નામથી જાણીતા એડવોકેટ કમલેશ બ્રહ્મક્ષત્રિયનું સાણંદ પાસે રોડ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે તેમજ સિનીયર એડવોકેટ એસ.બી.વડોદરીયાનું પણ ટુંકી બીમારીમાં દુઃખદ અવસાન થતાં ભાવનગર શહેર જિલ્લાનાં વકીલોમાં દ્યેરા શોકની લાગણી ફેલાઇ છે.

આ રીતે ભાવનગર વકીલ મંડળના ત્રણ સભ્યોએ ચિર વિદાય લીધી છે. વકીલ મંડળના તમામ સભ્યો વતી ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ હિરેન જાની, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ શિવભદ્ર ગોહિલ, એકસીડન્ટ કલેઇમ બાર એસોસીએશનના પ્રમુખ રૂમીભાઇ શેખ સહિતના સિનીયર તથા જુનિયર વકીલોએ સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી પાઠવી હતી. અને સદગતના માનમાં આજે તમામ વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહ્યા હતા. અને તમામ વકીલ મંડળો દ્વારા સંયુકત રીતે શોક ઠરાવ પણ કરાયો હતો. હાલની કોરોના મહામારીને ધ્યાને લઇ શોકસભા મોકુફ રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(11:42 am IST)