સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

ભાવનગરમાં ૧૦૧ કેસ સાથે એકનું મોત

કુલ ૭,૬૧૮ કેસો પૈકી ૭૧૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર,તા. ૧૦:  જિલ્લામા વધુ ૧૦૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૬૧૮ થવા પામી છે. શહેરી વિસ્તારમાં ૪૦ પુરૂષ અને ૨૯ સ્ત્રી મળી કુલ ૬૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૩, ઉમરાળા ખાતે ૧, ઘોઘા ખાતે ૧, ઘોઘા તાલુકાના હોઈદડ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના મલેકવદર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૩, વલ્લભીપુર તાલુકાના મેઘવદર ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૩, સિહોર તાલુકાના કાજાવદર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, ઘોઘા તાલુકાના ખાટડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના આંબલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જયારે આજરોજ મહુવા તાલુકાના લોંગડી ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૬ અને તાલુકાઓમાં ૧૬ કેસ મળી કુલ ૫૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૭,૬૧૮ કેસ પૈકી હાલ ૭૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:40 am IST)